નવસારી રેલવે સ્ટેશન માર્ગના વિસ્તરણ હેઠળ ડિમોલિશન કામગીરી પૂરજોશમાં શરૂ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિસ્તાર નવસારી રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ રસ્તાની પહોળાઈ માત્ર 6 મીટર છે, જેને 12 મીટર સુધી વિસ્તૃત કરવાની યોજના અમલમાં મુકાઈ છે. આ માર્ગ વિસ્થીરણના ભાગરૂપે આવેલું અધોવચ માળખું કાયદેસર રીતે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી રસ્તો વિશાળ અને વ્યવસ્થિત બની શકે.
આ પગલાનું મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અવરજવર માટે અનુકૂળ માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો છે. લાંબા સમયથી રહેલી ટ્રાફિક સમસ્યાઓને અંત આપવાના હેતુથી આ ડિમોલિશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જાહેર હિતને કેન્દ્રમાં રાખી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિશેષતા એ છે કે સ્થાનિક રહીશો તથા વ્યવસાયિકો તરફથી પણ આ કાર્ય માટે સહયોગ આપવામાં આવ્યો છે, જે બદલ મહાનગરપાલિકા તેમનો આભાર માનશે છે. નવસારીના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અને આવનારા સમયમાં વધુ સુવિધાયુક્ત શહેરી જીવન માટે વિસ્તૃત કામગીરી હાથ ધરવામાં આવશે.