નરેશપરમાર. કરજણ,
ભરથાણા ટોલનાકા પર ટોલ મુકિત માટે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર ર૧ આગેવાનોની અટકાયત
કરજણ ટોલ મુક્તિ આંદોલન પાર્ટ.2 21 જેટલા લોકોએ ટોલ મુક્તિ માટે આપેલ આત્મ વિલોપન ની ચીમકી..
કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર વડોદરા પાર્સિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે છેલ્લા ઘણા સમયથી એક બિન રાજકીય ચળવળ શરૂ થઈ છે. ઉપરોક્ત મુદ્દા પર ટોલ પ્લાઝાથી પદયાત્રા, પ્રાંત અધિકારીને આવેદનપત્ર તેમજ અન્ય રીતે કરજણ તાલુકા કોંગ્રેસ પક્ષ સહિત અન્ય પક્ષોના આગેવાનો દ્વારા ચળવળ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી હાઇવે ઓથોરિટી દ્વારા સ્થાનિકોને ટોલ ફ્રી મુદ્દે કોઇ પ્રત્યુત્તર ન મળતા કોંગી અગ્રણી પિન્ટુ પટેલ, કરજણ તાલુકા મૂળ નિવાસી એક્તા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમાર સહિત ૨૧ જેટલા લોકો ટોલ પ્લાઝા પાસે આત્મવિલોપન કરવાના હતા. આત્મવિલોપન કરે એ પહેલાજ કરજણ પોલીસે ઉપરોક્ત ૨૧ લોકોને તેઓના નિવાસ સ્થાનેથી અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગયા હતા. આત્મવિલોપન કાર્યક્રમ હોઇ કરજણ પોલીસ દ્વારા કરજણ ધાવટ ચોકડી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે સાથે ટોલ પ્લાઝા પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગી અગ્રણી પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એન એચ આઈ એ જે ૬૦ કિલો મીટરની અંદર ખિસ્સા કાપવા માટે ચોકીઓ ચાલુ કરી હોવાના આક્ષેપો સાથે જણાવ્યું હતું કે એના વિરોધમાં આજે ટોલ મુક્તિ અભિયાન ચાલુ રાખ્યું હતું. એક એપ્રિલે ટોલ પ્લાઝા અધિકારીને મૌખિક રજુઆત કરી હતી. તેમજ ટોલ પ્લાઝા અધિકારી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.ત્યારબાદ ૨૦ મી એપ્રિલના રોજ અમારા ૨૧ લોકોનો આત્મવિલોપન જે સ્થાનિક લોકોના હક માટે લડત લડી રહ્યા છે. અમે ૨૧ લોકો માટે આત્મવિલોપન માંગ્યું હતું. ત્યારે સવારે સાત વાગ્યાથી પોલીસ દ્વારા અમારી અટકાયત કરી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસનને આગળ લાવી અંગ્રેજ શાસન અને હિટલરશાહી શાસનને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ટોલ પ્લાઝા ટેક્સ મુક્તિ અભિયાન ચાલુ રહેશે એમ તેઓએ જણાવ્યું હતું.