GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના મેખાટીંબી તેમજ વરજાંગજાળીયા-નાગવદર રોડ પર આસ્ફાલ્ટ અને મેટલ દ્વારા પેચ વર્ક કામગીરી કરાઈ

તા.૧૭/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશન હેઠળ સમગ્ર રાજ્યમાં રસ્તાઓને દુરસ્ત કરવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં સમગ્ર રાજકોટ જિલ્લાના માર્ગોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી દરમ્યાન ઉપલેટાના રસ્તાઓને મોટરેબલ બનાવવા મેખાટીંબી એપ્રોચ રોડ પર વરસાદને કારણે પડેલા ખાડાઓને મેટલથી પેચ વર્ક કરવામાં આવ્યા હતા, જ્યારે વરજાંગજાળીયા- નાગવદર રોડ પર આસ્ફાલ્ટ દ્વારા પેચ વર્ક કરી રોડ રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી તેમ ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!