GUJARATJUNAGADH

એસ.એસ.સી., આઇ.ટી.આઇ., ડિપ્લોમા, કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ ખાનગી એકમોમાં કામ કરવાની તક

એસ.એસ.સી., આઇ.ટી.આઇ., ડિપ્લોમા, કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ ખાનગી એકમોમાં કામ કરવાની તક

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જી.એન.અલટેક પ્રા.લી., રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની તથા સફલ એન્જિનીયરીંગ, કંપની ખાતે ક્યૂ.સી. ઇન્સપેક્ટર, પ્રોડક્શન-સી.એન.સી., વિ.એમ.સી, એચ.એમ.સી. ઓપરેટર, એડવાઇઝર કે મેનેજરની જગ્યાઓ માટે એસ.એસ.સી., આઇ.ટી.આઇ., ડિપ્લોમા, કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી – જૂનાગઢ દ્વારા ડો.સુભાષ યુનિવર્સીટી કેમ્પસ, ખામધ્રોળ રોડ, જૂનાગઢ ખાતે તા.૦૯/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યુ છે.

Back to top button
error: Content is protected !!