જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જી.એન.અલટેક પ્રા.લી., રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની તથા સફલ એન્જિનીયરીંગ, કંપની ખાતે ક્યૂ.સી. ઇન્સપેક્ટર, પ્રોડક્શન-સી.એન.સી., વિ.એમ.સી, એચ.એમ.સી. ઓપરેટર, એડવાઇઝર કે મેનેજરની જગ્યાઓ માટે એસ.એસ.સી., આઇ.ટી.આઇ., ડિપ્લોમા, કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી – જૂનાગઢ દ્વારા ડો.સુભાષ યુનિવર્સીટી કેમ્પસ, ખામધ્રોળ રોડ, જૂનાગઢ ખાતે તા.૦૯/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યુ છે.