વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,કડી
તારીખ 27 એપ્રિલ 2025 નાં રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે મા. શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 નું આયોજન થયું. જેમાં કડી તાલુકાના વિસલપુર પ્રાથમિક શાળાના પ્રકૃતિ પ્રેમી આચાર્યશ્રી અરવિંદભાઈ આત્મારામદાસ પટેલ (AA) ને ગુજરાત રાજ્યના મા.શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મળવા બદલ ગામ, શાળા, સમાજ અને તાલુકાનું ગૌરવ વધ્યું છે. જેઓ કડી તાલુકાના શિક્ષકોની સાથે રહી હંમેશા સારું કાર્ય કરતા રહ્યા છે. તેમણે કડી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. શિક્ષક સમાજમાં પ્રિય એવા પ્રકૃતિપ્રેમી અરવિંદભાઈ પટેલ (AA) હંમેશાં અવિરત કામ કરતા રહે એવું કડી તાલુકાના તમામ શિક્ષકોના આશીર્વાદ હંમેશાં રહેશે.