પાંચ દિવસીય સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પ નો થયો કરાયો મંગલ શુભારંભ
21 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાંચ દિવસીય સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પ નો થયો કરાયો મંગલ શુભારંભ પાલનપુરની વિવિધ શાળાના ૧૨૮૭ જેટલા બાળકો થયા છે સહભાગી
બાળકો માં રહેલ સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાના ભાગ રૂપે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા મસ્તીવાલા સમર કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય સમર કેમ્પ નો આજરોજ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી નાં વરદ હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુમુદબેન જોષી, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, નગરપાલિકા સદસ્યા કવિતાબેન પ્રજાપતિ, હેતલબેન રાવલ, અમૃતભાઈ જોશી, કૌશલભાઈ જોશી, એડવોકેટ બાલેન્દુભાઈ ત્રિવેદી, બિપીનભાઈ પટેલ, જયેશભાઈ સોની, ડો.વંદનાબેન ભાલકિયા સહિત સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ થી પાંચ દિવસ સુધી યોજાનાર આ સમર કેમ્પ માં પાલનપુરની વિવિધ શાળાઓના ૧૨૮૭ જેટલા બાળકો સહભાગી થયા છે. આ સમર કેમ્પ માં ડાન્સ, મ્યુઝીક સહિત વિવિધ પ્રકારના ગેમ ઝોન માં બાળકો ખૂબ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળ ના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફના સહયોગ થી કરવામાં આવ્યું હતું.