GUJARATKUTCHMANDAVI

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૩૧ જુલાઈ  : જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ, ઈસમો પ્રવૃતિ કરી રહેલા હોવાનું જણાય આવેલું છે. આવો ઈરાદો રાખતા વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ છે.શ્રી મિતેશ પંડ્યા, અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૨૨ માં અધિનિયમ કલમ-૩૭(૩) અન્‍વયે અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર મનાઇ હુકમ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ની પેટા કલમ ૩ મુજબની શિક્ષાને પાત્ર થશે.

 

Back to top button
error: Content is protected !!