મામલતદાર કચેરી સાગબારાનાં છતમાંથી પોપડા પડ્યા. સદનસીબે રજાનો દિવસ હોય કોઈ જાનહાનિ કે ઇજાનો બનાવ બનેલ નથી.
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
અગાઉ પણ 27 october-2024 ના દિવસે કચેરીમાં પોપડા ખરવાનો બનાવ બનેલ હતો. આ કચેરીમાં અગાઉ પણ ચાર થી પાંચ વખત મામલતદાર કચેરીના છતમાંથી પોપડા ખરવાના બનાવ બનેલ છે. આ કચેરીનો વર્ષ-2024 માં અંદાજે રૂપિયા ૧૫ લાખના ખર્ચ રિનોવેશન કરવામાં આવેલ છે. જેમાં પણ અધૂરું કામ કરી ધ્યાન આપવામાં આવેલ નથી. આ મામલતદાર કચેરી બન્યાને અંદાજિત 40 થી 45 જેટલો વર્ષનો સમયગાળો થયેલ છે. કચેરી ખૂબ જ જરૂરી હાલતમાં છે, તેમ છતાં નવી કચેરી મંજુર કરવામાં આવતી નથી. કચેરીમાં પૂરતા પંખા, પીવાનું પાણી, લોકો માટે બેઠક વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમ વગેરે જેવી પાયાની સુવિધાઓ નથી. ચાલુ વર્ષે મામલતદાર કચેરીનું નવું મકાન બનાવવા માટે વિગતવાર દરખાસ્ત કરવામાં આવેલ છે. તેમ છતાં કોઈક કારણસર કચેરીનું નવું મકાન મંજૂર કરવામાં આવેલ નથી. કચેરીના કર્મચારીઓ ડરનાં ઓથાર હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે
.