GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

“કર ભલા તો હોગા ભલા” ના સૂત્રને લઈ દવે નરેશકુમાર બાબુલાલ દ્વારા ૨૧મી મે ૧૯૯૭ ના રોજ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને મદદ કરવા માટેનો છે. સંસ્થા વર્ષ ૧૯૯૭ થી કાર્યરત ISO 9001:2015નું રજીસ્ટ્રેશન ધરાવતી એક માત્ર સંસ્થા છે. સંસ્થાને ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ટ્રસ્ટ તરીકે માન્યતા મળી છે. સંસ્થા સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા વિકલાંગ ધારા ૨૦૧૬ નું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવે છે.ઈન્ડસ્ટ્રીઝકમિશનર, કુટીર ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ નું સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ છે.સંસ્થાને નેપાળના કાઠમંડુ ખાતે ઇન્ડો-નેપાળ શિરોમણી આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલ છે. દુબઈ ખાતે ત્રીજો ઇન્ટરનેશનલ CSR એવોર્ડ પણ મળેલ છે અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય મોનિટરિંગ્સ અને મોડેલ, દિલ્હી દ્વારા સંસ્થાને વિજિલન્સ અને મોનીટરીંગ કમિટીના સભ્ય તરીકે રાજ્ય લેવલે નિમણૂંક આપવામાં આવેલ છે.તેમજ સંસ્થાને રાજ્ય લેવલે નાબાર્ડમાં Regional- Advisory Committee On Off Farm Sector (OFPO)માં કમિટીના સભ્ય તરીકે નિમણૂંક મળેલ છે.

સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૨ માં અમદાવાદ ખાતે વિવિધ જીલ્લાના 175 શિક્ષકશ્રીઓનું સન્માન કરવા વિદ્યોતેજક ૨૦૨૨ના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમની સફળતા અને લોકોનો ઉત્સાહ જોઇને સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૪માં વિદ્યોતેજક સન્માન- ૨૦૨૪ ના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં ગાંધીનગરના જીલ્લાના ધારાસભ્યશ્રી રીટાબેન, વિજાપુરના ધારાસભ્યશ્રી સી. જે. ચાવડા, બેચરાજીના ધારાસભ્યશ્રી ડૉ. સુખાજી ઠાકોર, એમ.પી મહેતા સચિવશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન- ગાંધીનગર, એમ.કે રાવલ, નિયામકશ્રી, GSEB- ગાંધીનગર, ધર્મેશભાઈ પટેલ -શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગજેન્દ્રભાઈ જોશી – શિક્ષણવિદ, મનુભાઈ ચોકસી- પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ-મહેસાણા, ગૌરાંગભાઈ વ્યાસ – સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ માધ્યમિક શિક્ષણબોર્ડના સચિવ તેમજ પુલકિતભાઈ જોષી- માધ્યમિક શિક્ષણબોર્ડના મદદનીશ સચિવશ્રી તેમજ ભૂતપૂર્વ નાયબ જીલ્લા પ્રાથમિક અધિકારીશ્રીની માર્ગદર્શનથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશકુમાર બાબુલાલ દવે દ્વારા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જીલ્લાના મળીને કુલ ૫૫૫ શિક્ષકશ્રીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ બંને કાર્યક્રમોની સફળતા અને શિક્ષકશ્રીઓ અને પુલકિતભાઈ જોષી- માધ્યમિક શિક્ષણબોર્ડના મદદનીશ સચિવશ્રી તેમજ ભૂતપૂર્વ નાયબ જીલ્લા પ્રાથમિક અધિકારીશ્રીની સાથે રહીને પર્યાવરણ બચાવોની થીમ પર ચર્ચા થઇ અને જેના ફળ સ્વરૂપે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-2025 આપવાનું નક્કી કરવામાં આવ્યું.

પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને માધવ થેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ,ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૭/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.કાર્યક્રમનું ઉદ્ધાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી માન.કુબેરભાઈ ડીંડોર ના હસ્તે કરવામાં આવ્યું.જેમાં ગાંધીનગર મેયરશ્રી, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ,શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નરેશકુમાર દવે,ભાસ્કરભાઈ ઠાકર, મનુભાઈ ચોકસી, ગજેન્દ્રભાઈ જોશી શિક્ષણવિદ, તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જીલ્લામાંથી આવેલ ૨૫૨૫ પર્યાવરણ પ્રેમીઓને તેમના દ્વારા પર્યાવરણ લક્ષી કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવી અને મંચસ્થ વિવિધ મહાનુભાવોના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો.

આમ સમગ્ર કાર્યક્રમમાં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, માધવ થેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ,ના કર્મચારીઓ,તેમજ શિક્ષણ સાથે જોડાયેલ વિવિધ નામી અનામી વ્યક્તિઓના અથાગ પ્રયત્નો થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો…

Back to top button
error: Content is protected !!