MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નજીક પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

 

MORBI:મોરબી નજીક પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

 

 

મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે.


ત્યારે મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે આરતી કરવામાં આવી હતી. સાથે જ મહાપૂજા પણ કરાઈ હતી. સાંજે પણ મહાપૂજાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રાત્રે ચાર પ્રહરની આરતી કરવામાં આવશે. મહાશિવરાત્રિનો પર્વ હોય દુર દુરથી લોકો ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી રહ્યા છે. રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુના ગ્રાઉન્ડમાં મહાશિવરાત્રિના મેળાનું પણ આયોજન કરાયું છે.

મહાશિવરાત્રિ નિમિત્તે મોરબીના અગ્નેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ, તીથવા નજીક આવેલા ભંગેશ્વર મહાદેવ, સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ, વાંકાનેર ખાતેના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જામી છે. લોકો ભાંગનો પ્રસાદ લઈ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!