GIR SOMNATHGIR SOMNATH

શ્રી સોમનાથ મહાદેવ 75 મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ મહોત્સવ નિમીતે પાલખી યાત્રા કાઢવામાં આવી

સોમનાથ ખાતે તા.2/5/25ના રોજ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજીત શ્રી સોમનાથ મહાદેવ 75 મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ મહોત્સવ નિમીતે.. જુના સોમનાથ મંદિરે થી ભગવાન સોમનાથ મહાદેવ ની પાલખી યાત્રા ની સમગ્ર સોમપુરા બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ અને આરતી કરી ને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી તેમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા અને શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલશ્રી જીતુભાઇ કુહાડા દ્વારા આ પાલખી યાત્રા નું ફૂલહાર અને ઠંડા પીણાં થી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ, જુનાગઢ ગીર સોમનાથના જિલ્લા ભાજપ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં પટેલશ્રી જીતુભાઈ કુહાડા, રામેશ્વર એક્સપોર્ટર ના માલિક રામજીભાઈ પીઠડ, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પરમાર વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા તથા ભાજપના ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ તેમજ ૯૦ સોમનાથના કોંગ્રેસ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્દનભાઈ જાની, મહા મંત્રી વિક્રાંતભાઈ પાઠક તેમજ સમસ્ત ટ્રસ્ટી મંડળ, જ્ઞાતિ જનો તેમજ શ્રી તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ ગોર માર્કંડ બાપા, કિરીટ બાપા, મીથીલેશ બાપા, અજય બાપા, મિલનભાઈ જોશી, ખારવા સમાજના આગેવાન ખીમજીભાઈ કુહાડા નારણભાઇ બાંડીયા, જગદીશભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી તેમજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!