તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સયુંકત ઉપક્રમે દામલી પ્રાથમિક શાળામાં શૂન્ય ભેદભાવ દિવસ વિશે નાના ભૂલકાઓ બંધારણ અને તેની કલમો તેમજ ભેદભાવ દિવસ એ પ્રકાશિત કરે છે કે લોકો કેવી રીતે માહિતગાર થઈ શકે અને સમાવેશ, કરુણા, શાંતિ અને સૌથી વધુ, પરિવર્તન માટેની ચળવળને પ્રોત્સાહન આપી શકે. શૂન્ય ભેદભાવ દિવસ તમામ પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવા માટે એકતાની વૈશ્વિક ચળવળ બનાવવામાં બાળકો મોટો ભાગ ભજવી શકે છે.તેમજ મહીલા અને પુરુષ બંને સમાન છે.તેમજ રંગ ભેદ,લિંગ કોઈ નો ભેદભાવ ના હોવો જોઈએ.તેમજ કાયદો અને તેની રચના તેમજ બાળકો ના જુદા જુદા અધિકારો વિશે સમજવામાં આવ્યું.તેમજ બાળકો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી હેતલબેન સોલંકી, મેરાજ કાજી આચાર્ય શ્રી અશોક ચુડાસમા તેમજ રાજાભાઈ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.