DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લાના સંજેલી ખાતે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું

તા.૧૨.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના સંજેલી ખાતે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું

વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી દેશભક્તિના નારા લગાવ્યા હર ઘર તિરંગા’ અભિયાન થકી નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સહિત દાહોદ જિલ્લામા પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે. જે અન્વયે સંજેલી ખાતે ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરાયું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યઓ સહિત મહાનુભાવોએ વિશેષ હાજરી આપીને ગ્રામજનો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે સ્થાનિક પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!