
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જીલ્લામાં 7 ગામ દીઠ 10 ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ કાર્યરત છે.ત્યારે આહવા તાલુકાના બોરખલ ગામે કાર્યરત પશુ દવાખાનામાં ડો. નિકિતા અને પાયલટ દેવેન્દ્રભાઈ ઉપર આહવા તાલુકાનાં ગાયખાસ ગામેથી ઇમર્જન્સી માટે કોલ આવ્યો હતો.જે બાદ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.અને વાછરડાની તપાસ કરી હતી.જેમા વાછરડાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે,વાછરડાને સારણગાંઠ છે,જેથી વાછરડાની તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હતી. જેથી EMRI Green health services સંસ્થા અને ટીમે વાછરડાની ઘટના સ્થળે જ સર્જરી કરી હતી.આ ઓપરેશન કરી વાછરડાને પીડા મુક્ત કર્યો હતો અને એનો જીવ બચાવી લેવાયો હતો. આ ઓપરેશનમાં ડો.નિકિતા, ડો. અમિત અને ડો. રૂચિકા અને પાયલટ દેવેન્દ્રભાઈ, જીવાભાઇ અને અર્જુનભાઈએ ભેગા મળીને આખુ ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂ પાડયુ હતુ.અને વાછરડાને નવુ જીવન આપ્યુ હતુ.ત્યારે આનંદભાઈ પવાર અને ગામના લોકોએ નિ:શુલ્ક અને સમયસર સારવાર આપવા બદલ EMRI Green health services સંસ્થાનો અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી..




