GUJARATSAYLASURENDRANAGAR
સાયલાના નવાગામમાં દંપતિએ નાના ભાઈ પર લાકડી વડે હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
તા.30/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ બનાવ અંગે ધજાળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે સાયલા તાલુકાના નવા ગામમાં રહેતા 25 વર્ષીય વિક્રમભાઈ રવજીભાઈ બાવળીયા ખેતી કરે છે બે દિવસ પહેલા તેમના ઘરે સગા-સબંધી આવ્યા હતા જેમાં તેમના મોટાભાઈ ભરત બાવળીયાએ તેઓને ફોન કરી વિક્રમભાઈના ઘરે જવા ના પાડી હતી તેમ છતાં સબંધીઓ તેમના ઘરે આવતા ભરત ઝઘડો કરવા આવ્યો હતો જેમાં વિક્રમભાઈએ ઘરની ડેલી બંધ કરી દેતા અપશબ્દો કહી તે જતો રહ્યો હતો તા. 22-4ના રોજ રાત્રે વિક્રમભાઈ અને તેમના પત્ની વાડીએ સુતા હતા ત્યારે ભરત અને તેની પત્ની ભારતીએ આવી અપશબ્દો કહી લાકડી વડે માર મારી અપશબ્દો કહ્યા હતા જેમાં વિક્રમભાઈને સારવાર માટે સુદામડા સરકારી દવાખાને લઈ જવાયા હતા આ અંગે ધજાળા પોલીસ મથકે દંપતી સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી. જે. જીડીયા ચલાવી રહ્યા છે.