BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં 4.43 કરોડના નશીલા પદાર્થોનો નાશ:SPની હાજરીમાં દહેજની બેઈલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો, NDPSના 31 કેસમાં જથ્થો જપ્ત કરાયો હતો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 31 કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કર્યો છે. દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં આ નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી. નાશ કરાયેલા નશીલા પદાર્થોની કિંમત રૂપિયા 4 કરોડ 43 લાખ 73 હજાર 503 આંકવામાં આવી છે.
આ તમામ નશીલા પદાર્થો એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!