સિમલા ગેટ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ મુકાઈ
27 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સિમલા ગેટ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ મુકાઈ.હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જીવદયા ફાઉન્ડેશન ધ્વારા તથા રામ ભરોસે દાતાશ્રીઓના સહયોગથી પાલનપુરમાં આવેલ પવન ફૂટવેર સામે સીમલાગેટ વિસ્તારમાં જ્યાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે કાળઝાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તે હેતુથી જય જલારામ ઠંડા મિનરલ પાણીની પરબ જામનદાસ ખત્રી તથા કાંતાબેન પરમારના હસ્તે ખુલ્લી મુકાઈ હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ધ્વારા દર વર્ષે પાણીની પરબ નું સારી રીતે સંચાલન પણ કરવામાં આવે છે ઉદ્ઘાટક પ્રસંગે જામનદાસ ખત્રી, જીવદયા ફાઉન્ડેશ પ્રમુખ શ્રી ઠાકોર દાસખત્રી, સેવાકીય પ્રવૃતિઓમાં જાણીતા કપિલ ચૌહાણ દિવ્યાંગ પ્રતિનિધિ , પિંકી બેન.શકીલાબેન. ગૌતમભાઈ કેલા, મનીષભાઈ પરમાર,ડો રવિ સોની. પરાગભાઇ સ્વામી, દિનેશભાઈ શર્મા,.પ્રમુખશ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર.. કેયુર જગતાપ. અભય રાણા ,જયેશભાઈ સોની સહિત સેવાભાવી વ્યક્તિઓએ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા