DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગરમાં રાણાપ્રતાપની જન્મજયંતિની થશે જાજરમાન ઉજવણી-તડામાર તૈયારીઓ

જામનગરમાં રાણાપ્રતાપની જન્મજયંતિની થશે જાજરમાન ઉજવણી-તડામાર તૈયારીઓ

પુર્વ મંત્રી હકુભા અને ધારાસભ્ય રીવાબાની રક્તતુલા થશે–ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ-ગૃહમંત્રી હર્ષ સંઘવી-ખોડલધામના નરેશ પટેલ સહિત મહાનુભાવો રહેશે ઉપસ્થિત

રાજપૂત સમાજની વિવિધ શાખાઓ એક છત્ર હેઠળ-રકતદાન-મહારેલી-સમાજ સમુહ ભોજન-વિવિધ સમાજના પ્રમુખો સાથે મિલન અને મોભાદાર જમણવાર -ભવ્ય લોકડાયરો

 

જામનગર ( નયના દવે)

જામનગરમાં રાણાપ્રતાપની જન્મજયંતિની જાજરમાન ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા) જાડેજા અને ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાની રક્તતુલા થશે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ-ગૃહમંત્રી હર્ષ સંઘવી સંઘવી-ખોડલધામના નરેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ભવ્ય આયોજન માટે
રાજપૂત સમાજની વિવિધ શાખાઓ એક છત્ર હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે આ તકે -રકતદાન-મહારેલી-સમાજ સમુહ ભોજન-વિવિધ સમાજના પ્રમુખો સાથે મિલન અને મોભાદાર જમણવાર -ભવ્ય લોકડાયરો વગેરે આયોજન છે


જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા સૌપ્રથમવાર રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણવાર હાલારનો નવો રાજપૂત સમાજનો ઈતિહાસ કંડારવા જઈ રહયું છે. રાષ્ટ્રવીર ક્ષત્રિયકુળના શિરોમણિ અને વીર યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતીની વિશિષ્ટ ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર રાજપૂત સમાજની તન – મન – ધનથી ઉમદી સેવા કરતા રાજપૂત સમાજના ગૌરવરૂપ વ્યકિત વિશેષ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), પૂર્વ રાજયમંત્રી, ગુજરાત રાજય) હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાનું રક્તતુલા દ્વારા બન્ને મહાનુભાવોનું સન્માન સમારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાનાર હોઈ જેને લઈને રાજપૂત સમાજમાં અનેરા ઉત્સાહનું મોજું અને યુવાધનમાં આ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આગામી સોમવારે મોટાપાયે સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે મુખ્ય અને મહત્વનો કાર્યક્રમ છે. સન્માન અને રકતતુલાનો. જામનગર ઉત્તર (78) બેઠકના ધારાસભ્ય તરીકે 2012થી 2022 સુધી (10 વર્ષ) સેવા આપનાર ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તાજતેરની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે વિજેતા થનાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સન્માનવા તેઓની રકતતુલા કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સી.આર.પાટિલ સાહેબ (પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ તથા સાંસદ, નવસારી), રત્નાકરજી સાહેબ (પ્રદેશ સંગઠન મહામંત્રી – ગુજરાત ભાજપ), હર્ષભાઈ સંઘવી સાહેબ (ગૃહ રાજ્યમંત્રી – ગુજરાત), આર.સી.કળદુ સાહેબ (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ – ગુજરાત ભાજપ), ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ (પૂર્વમંત્રી – ગુજરાત રાજ્ય તથા વરિષ્ઠ આગેવાન, ગુજરાત રાજપૂત સમાજ), પ્રદીપસિંહજી વાઘેલા સાહેબ (પ્રદેશ મહામંત્રી – ગુજરાત ભાજપ), નરેશભાઈ પટેલ સાહેબ (પ્રમુખ ખોડલધામ સમિતિ – કાગવડ), ડો. ભરતભાઈ બોઘરા સાહેબ (પ્રદેશ ઉપપ્રમુખ – ગુજરાત ભાજપ), રઘુભાઇ હુંબલ સાહેબ (પ્રદેશ મંત્રી – ગુજરાત ભાજપ), ડો. જયેન્દ્રસિંહજી જાડેજા (મેનેજીંગ ડિરેક્ટર – અખિલ ગુજરાત રાજપૂત- યુવા સંઘ ગુજરાત પ્રદેશ), રાજભા ચુડાસમા (મામા સરકાર – માંગરોળ), ડો. યોગરાજસિંહજી. જાડેજા (જાબીડા) (પ્રમુખ- મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન (MPPS) – રાજકોટ) હાજરી આપશે.

મહારક્તદાન શિબિરનો કાર્યક્રમ પટેલ કોલોની શેરી નં.12, (ગાંધીનગર રોડ)માં આવેલ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે તા.22મે સોમવારના રોજ યોજાયેલ છે. બંને મહાનુભાવોની રક્તતુલા કર્યા બાદ આ રક્તનું દાન જી.જી.હોસ્પિટલ સંલગ્ન બ્લડબેંકને કરવામાં આવનાર છે. આ પ્રસંગે આશરે 15 હજાર વધુ લોકોનો ભોજન સમારોહ પણ યોજાશે. આ ઉપરાંત રાત્રે પદમ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરો યોજાનાર છે જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને માયાભાઇ આહીર તેના સુમધુર સ્વર રેલાવી શ્રોતાઓને ડોલાવશે.
આ સાથે સાથે કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ ગુર્જર સુતારજ્ઞાતિની વાડી, ગાંઘીનગર મેઈન રોડ, બપોરના 2 થી સાંજે 7 દરમ્યાન તથા શોભાયાત્રા સાંજે 06-00 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગરથી પ્રસ્થાન કરશે, આ શોભાયાત્રામાં અનેક રાજપૂત સમાજના આગેવાનો સહિતના લોકો જોડાશે ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ રાત્રે વાગ્યે ક્રિકેટ બંગલો પાસે કરશે, રાજપૂત વાત્સલ્ય ભોજનના દાતા તરીકે પૂર્વ રાજયમંત્રી અને ચેરમેન ભાગ્યલક્ષ્મી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા જોડાયેલ છે. અને રાત્રે 09-00 કલાકે ભવ્ય લોકડાયરો તેમજ રાત્રિના 10 કલાકે રક્તતુલાનો કાર્યક્રમ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

@______________

B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!