03 એપ્રિલ 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
GSET ઉતિર્ણ થતા કાલાવડ શહેર અને સમાજનું ગૌરવ
અધ્યાપક માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન. નવી દિલ્હી દ્વારા માન્યતા આપવામાં આવેલ ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન 17મી વખત ગુજરાત રાજ્યમાં કુલ 11 કેન્દ્રો પર તા.26-11-2023 ના રોજ થયેલ હતું. જેમાં લાયકાત ધરાવતા કુલ-35,286 ઉમેદવારોએ આ ટેસ્ટ આપવા ભાગ લીધેલ હતો. ભાગ લીધેલ ઉમેદવારો માંથી માત્ર 2619 ઉમેદવારોને એટલે કે માત્ર 7.42% ઉમેદવારોને ઉતિર્ણ જાહેર કરવામાં આવેલ છે. ઉતિર્ણ 7.42% ઉમેદવારોમાં ડૉ. રાકેશ વલ્ભલભભાઈ ડોબરીયા ઉતિર્ણ જાહેર થઈ કાલાવડ શહેર અને સમાજનું ગૌરવ બન્યા છે. તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના કર્મચારી છે. ડૉ. રાકેશ વલ્ભલભભાઈ ડોબરીયા આ પહેલા વર્ષ ૨૦૨૧ માં પી.એચ.ડી. પદવી મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.