શહેરમાં ૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ કરાઈ
તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
શહેરમાં તા:૧૩/૦૬/૨૦૨૪ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૦૨ (બે) શૈક્ષણિક સંસ્થાઓમાં (૧) ઉત્સવ કલાસીસ (૨) ભાર્ગવ કલાસીસ ને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આજ રોજ તા:૧૩/૦૬/૨૦૨૪ ફાયર સેફટી બાબતે કુલ -૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસ (૧)શ્રી ગીરનાર રાજેન્દ્ર શાંતીસેવા ટ્રસ્ટ-પ્રજાપતિ નગર (૨) પ્રજાપતિ એકતા ભવન યુનીટ -૧ અને યુનીટ -૨ (૩) આશોપાલવ હોટેલને ફાયર સેફટી સુવિધા અથવા કાર્યરત એન.ઓ.સી. કાર્યરત ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે.