PATANSIDHPUR

સિદ્ધપુર મા સૂકીભટ્ટ સરસ્વતી નદીમા દશામાં ની મૂર્તિઓનુ વિસર્જન કરાયુ

સિદ્ધપુર મા સૂકીભટ્ટ સરસ્વતી નદીમા દશામાં ની મૂર્તિઓનુ વિસર્જન કરાયુ

 

નદીમા પાણી ન હોવાથી વિસર્જન કરવા આવેલા ભક્તજનો મા નારાજગી

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ગુરૂવારે દશામાના વ્રતને દસમો દિવસ પૂર્ણ થતા દશામાના ભક્તોએ આખી રાત જાગરણ કરી ગુરૂવારે વહેલી સવારે કુંવારીકા સરસ્વતી નદીમા દશામાની મૂર્તિઓ નુ વિસર્જન કરવામાં આવ્યું હતું

 

સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે વહેલી સવાર થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સરસ્વતી નદીના કિનારે માધુપાવડીયા ચેકડેમ પાસે ભક્તોએ દશામાની મૂર્તિઓ નુ વિસર્જન કર્યું હતું. દસ દિવસ સુધી દશામાની મૂર્તિની પૂજા અર્ચના કરી દસમા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારે દશામાની મૂર્તિનું નદીમાં વિસર્જન કરી દશામાના મહોત્સવની ઉજવણી કરી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે સરકારને પણ નગરના આગેવાનો દ્વારા અનેક રજુવાતો કરવા છતાંય નદીમાં પાણી ના હોવાથી દશામાની મૂર્તિઓ નુ વિસર્જન કરવા આવતા શ્રદ્ધાળુઓ મા નારાજગી જોવા મળી હતી અને સરસ્વતી નદીમાં પાણી છોડવા માંગ કરી હતી

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!