GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ ગામોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

તારીખ ૨૨/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ ગામોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના નવનિર્માણ ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલોલ પંથકના હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ રક્ષા સ્ત્રોત યજ્ઞ ભવ્ય શોભા યાત્રા અન્નકૂટ દર્શન અને લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાલોલ તાલુકાની જનતાએ અને રામભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં કાલોલ ખાતે આવેલ રામજી મંદિરમાં રામલલાની આરતી કરી ભવ્ય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી હતું જેમાં બ્રાહ્મણોની શાસ્ત્રોક વિધિ ને મંત્રો દ્વારા ભવ્ય યજ્ઞ યોજાયો હતો રામજી મંદિરના પૂજારી અને રામભક્તોએ જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અયોધ્યામાં રામલનાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ કાલોલમાં દિવાળી જેવો માહોલ બન્યો હતો સમગ્ર નગરમાં ધજાઓથી શણગારી સાથે રોશનીથી સમગ્ર નગર ઝગમગી ઉઠ્યું હતું.મા લક્ષ્મી મંદિર અને રામજી મંદિરમાં ભક્તજનોએ અયોધ્યાથી લાઈવ પ્રસારણ પર નિહાળ્યું હતું અને ધન્યતા અનુભવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!