JUNAGADHMANGROL

માંગરોળ: વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે આ જગ્યા છોડવા માછીમારોનું મન નથી માનતું, તેમ છતાં તેઓ કરશે સ્થળાંતર

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ બંદર પર હાલ જીવન જોખમે 700/ થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. બિપોરજોય વાવાઝોડાંના પગલે તેઓને સ્થળાંતર કરવાની નોબત આવી છે. સ્થળાંતર કરનારા લોકોમાં 15 ગભૅવતી મહિલાઓનો પણ સામાવેશ છે.

700 થી વધુ લોકો જેમાં 15 ગભૅવતી મહિલાઓ

શીલ બંદર પર હાલ જીવન જોખમે 700 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકોને તંત્રની અનેક વખત સુચનાઓ આપવામાં આવી છે. સ્થળાંતર માટે અનેક પ્રકારે રજૂઆત પણ કરવામાં આવી છે તંત્રની સાથે સરપંચે પણ ધણી વખત તેમને રજુઆત કરી છે. કે તમે સ્થળાંતર કરી લો પણ પોતાની જગ્યા મૂકવા હાલ સ્થાનિક લોકો તૈયાર નથી.

અમારી રોજી રોટીનું શું?
અહીંના સ્થાનિક લોકોનુંં કહેવું છે કે અમે જો અહી રહેતા હોઈશું તો અમે બધી વસ્તુમાં ધ્યાન આપી શકીશું, અમારી માછીમારી સિવાય કોઈ વ્યવસાય નથી.અમે અમારી હોળી સહિતની વસ્તુઓ જો અહીંથી મૂકીને ચાલ્યા જઈએ તો અમારી રોજી રોટી નું શું? જો કે આજે સાંજે સ્થળાંતર કરી લઈશું,

અહીં દરેક લોકોના જીવ પર તોળાતું સંકટ
અહી જે રીતે લોકો રહી રહ્યા છે. તેમાં દરેક લોકો ખૂબ જીવના જોખમે રહી રહ્યા છે. લોકોના ધરમાં પાણી ધુસી રહ્યા છે. દરિયાથી ફફત 10 મીટર દૂર જ આ રહેવાસીઓનું ધર આવેલું છે તેથી આવનારા દિવસોમાં, 15 જૂન સુધી વધારે ખતરો આ લોકો ના જીવન પર તોળાશે.ત્યારે જલ્દીથી અહીં રહેનારા લોકો પોતે સ્થળાંતર કરે તે જરૂરી છે.

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!