હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા ભાજપની બેઠક યોજાઈ
જિલ્લાના દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવાશે: તાલુકા, નગર અને ગામડાઓમાં તિરંગા યાત્રાનું થશે આયોજન

જિલ્લાના દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવાશે: તાલુકા, નગર અને ગામડાઓમાં તિરંગા યાત્રાનું થશે આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ


દરેક ઘર સુધી તિરંગો પહોંચાડવાનો સંકલ્પ:
બેઠક દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ ભારતની એકતા અને સ્વાભિમાનનું પ્રતિક છે. જૂનાગઢ જિલ્લાના દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે ભાજપ સંગઠન સંકલ્પબદ્ધ છે. આગામી દિવસોમાં તાલુકા અને નગરપાલિકા સ્તરે બેઠકો યોજીને વધુમાં વધુ નાગરિકોને જોડવા જનસંપર્ક કરવામાં આવશે.

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા, રાષ્ટ્રધ્વજ વિતરણ અને જનસંપર્ક કાર્યક્રમો યોજાશે. જેમાં ભાજપ યુવા મોરચા સહિતના વિવિધ મોરચાઓના કાર્યકર્તાઓ સક્રિયપણે જોડાશે. આ અભિયાન કોઈ એક પક્ષ પૂરતું સીમિત ન રહેતા તમામ વર્ગોની ભાગીદારીથી રાષ્ટ્રભક્તિ પર્વ તરીકે ઉજવાશે.
વંથલી ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવાશે:


સંગઠનાત્મક પરંપરા મુજબ ભવનાથ-ભારતી આશ્રમ ખાતે જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સંગઠન મજબૂત કરવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન અપાશે.




