JUNAGADHMANGROL

માંગરોળ: જેથખંમ રોડ પર ખૂટીયાનો આતંક,5 લોકો થયા ઈજાગ્રસ્ત, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતમાં આખલાઓનો આતંક હવે મોટાં શહેરોથી નાનાં શહેરો સુધી પહોંચ્યો છે. આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આખલાઓના ટોળાએ ચારથી પાંચ લોકોને અડફેટે લેતાં લોકોમાં નાસભાગ મચી હતી.લોકોને ફેકચર સહિતની ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આખલાઓના આતંકની સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ હતી

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગુલાબીનગર જંક્શન રોડ પર આજે સવારના સમયે આખલાઓનું એક ટોળું ધસી આવ્યું હતું. એને કારણે લોકોમાં નાસભાગ મચી હતી. પરંતુ, એક વૃદ્ધાને આખલાએ અડફેટે લઈ જમીન પર પછાડી દીધા હતા. ત્યાર બાદ તેઓ ફરી ઊભાં થઈ દૂર જવાનો પ્રયાસ કરતાં આખલાએ ફરી તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા .આ સમયે જે બચાવવા આવ્યા હતા તેમને પણ ઠીંકે ચડાવ્યા હતા.

નોંધનીય છે કે થોડા મહિના પહેલાં રખડતાં ઢોર મામલે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં રખડતાં પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે આ ઝુંબેશ બાદ પણ રાજ્યમાં હજી અવારનવાર આજ જેવી ધટનાઓ સામે આવતી રહે છે .કેટલીક ધટનાઓ તો એવી બેન છે.જેમાં રહદાર કે વાહનચાલકે રખડતા ઢોરના કારણે પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ ——

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!