JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

માંગરોળના સીલ નજીક અને ખરેડા ફાટક પાસે વહીવટી તંત્ર દ્વારા પાણીના પરબ શરૂ કરાયા

લોકોની તરસ છીપાવવાની સાથે સ્થાનિક સ્વયં સેવકોતલાટી મંત્રી સહિતના કર્મચારી અવશ્ય મતદાન કરવા માટે કરી રહ્યા છે પ્રેરિત

જૂનાગઢ તા.૨૬    તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે, ત્યારે આ ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના શીલ નજીક અને ખરેડા ફાટક પાસે પાણીના પરબ શરૂ કરવામાં કરવામાં આવ્યા છે. આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છીપાવવામાં આવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને તા.૭મી મે અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

        આ સંદર્ભે માંગરોળના તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.વી. ઓડેદરા કહે છે કે, ભારે ગરમીમાં લોકો હાઈડ્રેટ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે. આ પાણીના પરબ એક રીતે વિશિષ્ટ પરબ બન્યા છે,

        અહીંયા લોકોને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. સાથે જ તા.૭મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, હિતવેવથી બચવા માટે પાણી પીવું જરૂરી છે, સાથે જ લોકશાહીમાં મતદાન અવશ્ય કરવું જરૂરી છે.

        ઉપરાંત મતદાન જાગૃતિ અર્થે બેનર પણ લગાવવામાં આવ્યા છે. તેમજ આ પાણીના પરબ ચલાવવા અને મતદાન જાગૃતિનો સંદેશ આપવા માટે સ્થાનિક સ્વયં સેવકો ઉપરાંત તલાટી મંત્રી અન્ય કર્મચારી-અધિકારી પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!