જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જીવદયા ફાઉન્ડેશન પાલનપુર દ્વારા કીડિયારુ પુરવાનો સેવા કાર્યક્રમ યોજાયો
30 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને। જીવદયા ફાઉન્ડેશન પાલનપુર દ્વારા કીડિયારુ પુરવાનો સેવા કાર્યક્રમ યોજાયો પાલનપુરમાં
સૂકા નારિયેળલઈ તેમાં હોલ કરીને મોગર દાળ,બાજરી, કાળા તલ, ચોખા, ગોળ,ખાંડ, દેશી ધી, સુથી મિક્સવાળોલોટ બાંધી નારીયેલમાં ભરીને કીડીમાટે કીડિયારું બનાવવામાં આવે છે.કીડીઓ માટે ૩૦ કિલો મિક્સલોટ જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યું અને કીડીને કીડીયારું પુરવા થી કરજ ઓછુંથાય છે અને સાત પેઢી શ્રીમંત બનેંછે. નારીયેલના કીડિયારુંના કારણેકીડીને રોટી અને મકાન બંને મળી રહે.છે. નારીયેળ ઉપર કાણું પાડીનેકીડિયારું પુરવામાં આવે છે બાદમાંવૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીઓતેની અંદરથી ખોરાક લે છે પણચોમાસામાં વરસાદથી બચવાઆશરો પણ લે છે વ્યક્તિને ભોજનઆપી એ તો તે અંદરથી આપણનેઆશીર્વાદ આપે છે તો તેવી રીતે જકીડીયારું ને કણ નાખવામાં આવે તોતે પણ આપણે ને આશીર્વાદ આપે છે.આપણી દરેક મુશ્કેલીમાં એઆશીર્વાદ આપણને બચાવે છે પરંતુકીડીઓરને કણ નાખવા લઈને એવુંપણ કહેવામાં આવે જે લોકો કીડિયારું.પુરતા હોય છે તેમને મૃત્યુ પછી પણસ્વર્ગ મળે છે.. ત્યારબાદ આજે સવારે પાલનપુર થી 10 જેટલા સ્વયંસેવક મિત્રો બાલારામ પાસે આવેલ ઉકરડા ખાતે ગયા. ત્યાં ઉકરડા મંદિરમાં દર્શન કર્યા બાદ જંગલમાં વિવિધ અલગ અલગ જગ્યાએ અને ઝાડની બખોલ ના આસપાસ , અલગ અલગ વિવિધ જગ્યાઓએ કીડિયારુ પૂરવામાં આવ્યું. આજના કાર્યક્રમ મા સર્વે સેવાભાવી મિત્રો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ચૈત્ર માસમાં કીડિયારુ પુરુવું સેવાનું ઉત્તમ કામ છે જેમાં ગ્રુપના પૂનમબેન મોદી, નિમાબેન પંચાલ, જયેશભાઈ સોની, અશોકભાઈ પઢીયાર અહેમદભાઈ હાડા, જીવદયાપ્રેમી ઠાકોરદાસખત્રી. મનીષ પરમાર .પરમાભાઇ પટેલ (ગાયત્રી પરિવાર).મહેશભાઈ ઠક્કર અને સેવાભાવી મિત્રો ટીમના મેમ્બર જોડાઈને સેવા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો