GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના વિધાર્થીઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

હર ઘર તિરંગા અભયાન હેઠળ નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનમાં લોક જાગૃતિ માટે પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું. લોકોનો જુસ્સો વધારવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થઈને બાળકોએ માનવ આકૃત્તિ દ્વારા ‘હર ઘર તિરંગા’ અને રાષ્ટ્રીય ચિહ્ન ‘અશોક ચક્ર’ની મનમોહક કલાકૃતિ બનાવી હતી.
નાનકડા ભૂલકાઓ સામૂહિક રીતે પ્રદર્શિત કરેલી આ ક્લાકૃતિમાં શાળાના શિક્ષકગણની મહેનત  અને બાળકોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા ઉડીને આંખે વળગે છે.

Back to top button
error: Content is protected !!