લો બોલો…ડેડિયાપાડા ભાજપ તાલુકા મંડલ પ્રમુખ ના ગામમાં જ આઝાદી ના 77 વર્ષ બાદ પણ વીજળી થી વંચિત રહ્યા ગ્રામજનો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/04/2025 – ગુજરાતનાં મોટાં ભાગનાં ગામોમાં વીજળી પહોંચી ગઈ છે હોવાનું કહેવાય છે, પણ હજી આઝાદીનાં 77 વર્ષ બાદ પણ ગુજરાતનું આ એક ગામ એવું છે, જ્યાં વીજળી પહોંચી જ ન હોવાનો દાવો ગ્રામજનો કરે છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના સામરઘાટ ગામે આઝાદીના 77 વર્ષ વીત્યા બાદ પણ હજુ ગ્રામજનો વીજળી થી વંચિત રહ્યાં છે. ત્યારે ગ્રામજનો દ્વારા અનેકવાર ગ્રામસભા માં ઠરાવ કર્યો અને GEB નાં અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં લોલીપોપ આપવામાં આવી રહ્યો છે, ગ્રામજનો નાં કહેવા મુજબ અધિકારીઓ તેમજ નેતાઓ ને જણાવ્યા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અને એક મહિના માં થઈ જશે બે મહિના માં થઈ જશે તેમ જણાવવામાં આવે છે, છેલ્લા ત્રણ વર્ષ થી વીજળી માટે ગ્રામજનો એ તમામ કચેરીઓના દ્વાર ખખડાવ્યા છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી. તંત્ર મૌન અને આંધળું બની ગયું છે.
વિકાસ નાં નામે મોટી મોટી વાતો કરતી સરકાર આ ગામ સુધી વીજળી અને પાણી પોહચડવા માં નિષ્ફળ નીવડી છે. ત્યારે નવાઈ ની વાત એ છે કે ભાજપ મંડલ પ્રમુખ એજ ગામના છે છતાં “દીવા તળે અંધારું” જેવો ઘાટ સર્જાયો છે. વીજળી નાં આભવ ને કારણે મૂંગા પશુઓને તરસ્યા મરી રહ્યા છે, ગ્રામજનો ને પીવા નાં પાણી માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક કિલો મીટર સુધી દૂર માથે બેડું લઈ ને પાણી ભરવા જવા મજબૂર થવું પડ્યું છે. ગામલોકો નું કહેવું છે કે ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, સરકાર વીજળી ની સુવિધા જલ્દી આપે તો સારું. વીજળી વિના મહિલાઓની તેમજ અભ્યાસ કરતા બાળકોની જિંદગી ખૂબ મુશ્કેલ બની ગઈ છે.
હવે જોવું એ રહ્યું કે શું જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી ગ્રામજનો ને વીજળી અને પાણી ની સુવિધાઓ આપવામાં આવે છે કે કેમ??