પહેલગાંવ આંતકી હુમલાને લઈને મહીસાગર જીલ્લાના મુસ્લિમોમાં ભારે રોષ.
પહેલગાંવ આંતકી હુમલાને લઈને મહીસાગર જિલ્લાના મુસ્લિમ સમાજમાં ભારે રોષ.
રિપોર્ટર…
અમીન કોઠારી.
મહીસાગર ….
પહેલગાંવ આતંકી હુમલાને લઈને સમગ્ર મહીસાગર જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો ભારે રોષે ભરાયા છે.
આજરોજ જુમ્માની નમાજમાં કાળી પટ્ટી બાંધીને મહીસાગર જિલ્લાના લુણાવાડા વીરપુર બાલાસિનોર માં જુમ્મા ની નમાજ અદા કરી હતી.
લુણાવાડા મસ્જિદના મોલાના સાહેબે તમામ મુસ્લિમ સમાજના લોકો બેનરો સાથે ઉભા રહીને “હિન્દુસ્તાન જિંદાબાદ “આંતકવાદ મુર્દાબાદ “પાકિસ્તાન મુર્દાબાદના” થી નારા લગાવ્યા હતા અને ભારતના મુસ્લિમો આંતકવાદનો વિરોધ કરીએ છીએ, અને પુરા હિન્દુસ્તાનમાં અમર અને શાંતિ જળવાય તેવી તેમને દુઆ કરી હતી, વધુમાં તેમને જણાવ્યું કે કાશ્મીરના પુલવામાં જે આંતકી હુમલો થયો તેમાં જે હિંદુ ભાઈઓ શહીદ થયા છે તેમને મુક્તિ મળે અને મુસ્લિમ ભાઈઓને જન્નત મળે તેવી દુઆ કરી હતી અને અમે તમામ પુરા ભારત દેશના મુસ્લિમો આંતકવાદનો સામનો કરવા માટે અમારા ભારત દેશની સરકારને સાથે ઊભા છીએ તેવું તેમને જણાવેલ હતું.
બીજી તરફ વીરપુરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકોએ સ્વૈચ્છિક બજારો બંધ રાખીને પુલવામાં સહિત થયેલા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જ્યારે સંતરામપુરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોએ જુમમાં ની નમાજમાં પોતાના હાથે કાળી પટ્ટી બાંધી રાખીને શાંતિપૂર્વક આ બનાવને વખોડી કાઢીને આંતકવાદનો વિરોધ નોંધાયો હતો.