MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં થાંભલાના કરંટ થી ઈજાગ્રસ્ત વાનરનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું લાડોલ નર્સરી ખાતે ઈજા ગ્રસ્ત વાનર ને સારવાર માટે મોકલી

વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં થાંભલાના કરંટ થી ઈજાગ્રસ્ત વાનરનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું
લાડોલ નર્સરી ખાતે ઈજા ગ્રસ્ત વાનર ને સારવાર માટે મોકલી બચાવી લેવાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં ખેતર માં એક ઈજાગ્રસ્ત વાનરને કરંટ લાગતા જીવદયા પ્રેમી વિજયભાઈ ને તથા તેમણે સામાજિક કાર્યકર તરુણભાઈ પટેલને અને વન વિભાગને જાણ કરતા વન વિભાગ ના કર્મચારી વનપાલ જયેશ ભાઈ પટેલ અને વન રક્ષક પાયલબેન ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.વન વિભાગની ટીમ સાથે જીવદયા પ્રેમીઓ ના સંપૂર્ણ સહયોગ થી વાનર નુ રેસ્ક્યુ કરી બચાવી લેવા મા આવ્યો હતો. ઈજા ગ્રસ્ત થયેલા વાનર ને સારવાર માટે સહી-સલામત વન વિભાગ ની લાડોલ નર્સરી ખાતે મોકલવામાં આવ્યું હતુ. વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ નૈતિક જવાબદારી જીવદયા પ્રેમી અને વન વિભાગે નિભાવી હતી .પર્યાવરણ વન્યજીવોની સુરક્ષા જાગૃતી રાખી.ઈજાગ્રસ્ત વન્યજીવ જીવ ને મુશ્કેલી માંથી બહાર કાઢી પ્રકૃતિ ના રક્ષણ નુ ઉમદા ઉદાહરણ જીવદયા પ્રેમીઓ એ પુરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!