વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં થાંભલાના કરંટ થી ઈજાગ્રસ્ત વાનરનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું
લાડોલ નર્સરી ખાતે ઈજા ગ્રસ્ત વાનર ને સારવાર માટે મોકલી બચાવી લેવાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં ખેતર માં એક ઈજાગ્રસ્ત વાનરને કરંટ લાગતા જીવદયા પ્રેમી વિજયભાઈ ને તથા તેમણે સામાજિક કાર્યકર તરુણભાઈ પટેલને અને વન વિભાગને જાણ કરતા વન વિભાગ ના કર્મચારી વનપાલ જયેશ ભાઈ પટેલ અને વન રક્ષક પાયલબેન ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.વન વિભાગની ટીમ સાથે જીવદયા પ્રેમીઓ ના સંપૂર્ણ સહયોગ થી વાનર નુ રેસ્ક્યુ કરી બચાવી લેવા મા આવ્યો હતો. ઈજા ગ્રસ્ત થયેલા વાનર ને સારવાર માટે સહી-સલામત વન વિભાગ ની લાડોલ નર્સરી ખાતે મોકલવામાં આવ્યું હતુ. વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ નૈતિક જવાબદારી જીવદયા પ્રેમી અને વન વિભાગે નિભાવી હતી .પર્યાવરણ વન્યજીવોની સુરક્ષા જાગૃતી રાખી.ઈજાગ્રસ્ત વન્યજીવ જીવ ને મુશ્કેલી માંથી બહાર કાઢી પ્રકૃતિ ના રક્ષણ નુ ઉમદા ઉદાહરણ જીવદયા પ્રેમીઓ એ પુરું પાડ્યું હતું.