રાજપારડી પોલીસ દ્વારા આગામી ઉતરાયણના તેહવાર ને અનુલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો





ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પી.આઇ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજપારડી ચાર રસ્તા ખાતે આગામી ઉતરાયણના તેહવારના અનુલક્ષી એક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં. ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ દોરા વાપરવા નહીં અને તેનું વેચાણ કરવું નહીં એમ પોલીસ મથકના જવાનો દ્વારા લોકોને જણાવ્યું હતું અને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જો કોઈ ઇજા ગ્રસ્ત પક્ષી મળે તાત્કાલિક સારવાર મળે તે માટે 1962 પર ફોન કરી જાણ કરવી.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી




