GUJARATKUTCHMANDAVI

મૂલ્ય, નૈતિકતા અને આદર્શોના બીજારોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છના હજારો વિધાર્થીઓ જોડાયા.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ- હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિનુ જતન કરવાનો અવિરત પ્રયાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૦ સપ્ટેમ્બર : ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવી છે. સભ્યતાનો વિકાસ એના ગર્ભથી થયો. જેણે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા. કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવજાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ દર્શન કરતી રહી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-૨૦૦૧ થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્યો, નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એમ રહેલ છે. આ પરીક્ષા ધોરણ- ૫ થી કોલેજના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે, જેમા આ વર્ષે સમગ્ર કચ્છમાંથી હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લેવાતી આ પરીક્ષામાં ૧૩૦૯૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

ભુજની ૧૧૫, ગાંધીધામની ૫૮, અબડાસાની ૦૮, લખપતની ૦૮, માંડવીની ૨૨, મુન્દ્રાની ૧૭, રાપરની ૧૪, અંજાર ૧૮ અને નખત્રાણાની ૨૦ શાળાઓ મળી કુલ ૨૮૦ શાળાઓના ૧૩૦૯૫ વિધાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનરુપ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ હતો.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોશી, જિલ્લા સમિતિના સંકલન કર્તા હર્ષલભાઈ જોશી, ધ્રુવભાઇ જાની, તાલુકા સંયોજકો નિલિમ્પાબેન મચ્છર, અલ્પેશભાઈ જાની, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપાબેન મહેતા, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવીએ સેવાઓ આપેલ હતી. આ પરીક્ષાને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, નિવૃત્ત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા તેમજ કચ્છ જિલ્લાની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોનો ખૂબ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો.

Back to top button
error: Content is protected !!