નખત્રાણામાં અટલ ભૂજલ યોજના હેઠળ ખેડૂતોને અપાઈ તાલીમ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૮ ઓગસ્ટ : અટલ ભૂજલ યોજના હેઠળ નખત્રાણા તાલુકાના ખેડૂતોને અપાઈ તાલીમતા. ૦૬/૦૮/૨૦૨૫ ના રોજ નખત્રાણા તાલુકાના રામપર (રોહા) ગામે લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતેબે પાળી માં અટલ ભૂજલ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૬૦ ખેડૂતો ભાઈઓ તથા બહેનો એ ભાગલીધો હતો. આ ખેડૂત તાલીમમાં અટલ ભૂજલ યોજના માંથી આવેલ હરેશ કાનજી વાઘેલા (IEC Expert) અનેગૌરવ સતીષ પાટીલ (Hydrologist) દ્વારા અટલ ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળકરવામાં આવેલ કામ, ગ્રામ પંચાયતને ફાળવામાં આવેલ સાધન પાણીના સ્તર ઊંચા કઈ રીતે લાવવા તે બાબતેમાહિતી આપી હતી. ACT માંથી અમૃતભાઈ ગરવા દ્વારા યોજના અંતગર્ત વિવિધ પ્રવૃત્તિ અને કાર્યોની ચર્ચાકરવામાં આવેલ, સમીર વિઠલભાઈ ગજેરા (agriculture expert) દ્વારા સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે માહિતીઆપી હતી. ખેતીવાડી ખાતામાંથી આવેલ ગ્રામસેવક સંદીપ પટેલ ખેતીવાડી ખાતાની વિવિધ કામગીરીની માહિતીઆપી તેમજ મદદનીશ ખેતી નિયામક (તાલીમ) તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ચૌધરી દ્વારા ખેતીવાડી ખાતાનાતાલીમ વર્ગો અંગેનીં માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં વિપુલ પટેલ (ATM) પ્રકૃતિ ખેતીની સમજ આપી હતી.ભુપતભાઈ લકુમ (વેલસ્પન ફાઉન્ડેશન- મેનેજર) દ્વારા ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ ખેતી અંગેમાર્ગદર્શન આપ્યું. જીવરાજભાઈ નાનજીભાઈ રામાણી (રામપર પટેલ સમાજ પ્રમુખ) અને ખીમજીભાઈ ગોવિંદભાઈરામાણી (રામપર – પટેલ સમાજ મહામંત્રી) દ્વારા ભૂગર્ભ જળ બચાવવા તેમજ ગામમાં પાણીનો સંગ્રહ વધે તે અંગેસમજ અપાઈ હતી. પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ રૂડાણી(રામપર – યુવક મંડળ પ્રમુખ) દ્વારા પાણી બચાવવા માટેગામ લોકોને અપીલ કરી હતી. ગામના સરપંચ બુધ્ધાભાઈ સોમાભાઈ રબારી દ્વારા આભાર વિધિ કરી ખેડૂતોનેપાણી બચાવવા માટે આહવાન કરવામા આવ્યું હતું.