GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKONATIONAL

GUJARAT:Gen-Z ના આક્રોશ સામે મોદી સરકાર ઝૂકી: NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

 

Gen-Z ના આક્રોશ સામે મોદી સરકાર ઝૂકી: NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

જૂની કહેવત છે કે “ઝૂકે છે દુનિયા, ઝુકાવવા વાળો જોઈએ.” પણ શું આજે એ વાત ખરેખર સાચી પડે છે?

આજના સમયમાં શિક્ષણ અને ધર્મ બંને મુખ્ય બાબતો બની ગયા છે. આવી સ્થિતિમાં સરકાર માટે શીખ ટ્રેન્ડ કે આંદોલન સમયે માત્ર પરિસ્થિતિ સાચવી લેવી પૂરતી નથી; લોકોનો વિશ્વાસ ટકી રહે તે રીતે કામ કરવું ખૂબ જરૂરી છે.આંદોલનના : ૨૫ દિવસ સુધી મુદ્દા પર અડીને, સચોટ અને શાંતિપૂર્ણ રીતે કામ કરીને પરિણામ મેળવી શકાય છે તે સાબિત થયું છે. ગંદી ટિપ્પણીઓ કે અભદ્રતા સામે યુવાનો આજે ખરેખર નારાજ છે. તેમને ભાષણો નહીં, પણ પ્રત્યક્ષ એક્શન (Action) જોઈએ છે.વ્યક્તિગત નેતૃત્વ કે ‘હીરો’ બનાવવા કરતાં સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે, જેથી ફેરફાર કાયમી રહે. સોશિયલ મીડિયા અને રાજકારણ: રાતોરાત લાખો ફોલોઅર્સ કે લોકપ્રિયતા મેળવી શકાય છે, પણ શું તેમાંથી સાચી ક્રાંતિ કે ચેતના આવી શકે?​પીડિત વિદ્યાર્થી અને પરિવાહને યોગ્ય સહાય મળવી જોઈએ.દોષિત અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ‌.​સિસ્ટમ મૂળમાંથી ક્યારે બદલાશે એ સૌથી મોટો પ્રશ્ન છે.​આ કોઈ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. યુવાનોનો આ અનાજ અને જાગૃતિ આગળ પણ ટકી રહેવી જોઈએ!

 

નવી દિલ્હી:દેશભરમાં NEET પેપર લીક વિવાદને લઈને ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને Gen-Z (યુવા પેઢી)ના અભૂતપૂર્વ આક્રોશ સામે અંતે કેન્દ્ર સરકારને નમતું જોખવું પડ્યું છે. સતત 36 દિવસના ઐતિહાસિક આંદોલન અને દેશવ્યાપી રોષ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધર્મેન્દ્ર પ્રધાને એક સત્તાવાર પત્ર જાહેર કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.

21 વિદ્યાર્થીઓના આત્મહત્યા બાદ દેશવ્યાપી રોષ: NEET પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકની ઘટનાઓ બાદ દેશના જુદા જુદા ભાગોમાં 21 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાઓએ યુવાઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભીષણ આક્રોશ જગાવ્યો હતો.

જંતર-મંતર પર ઐતિહાસિક આંદોલન: નવી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના વિદ્યાર્થીઓએ એકઠા થઈને અવિરત 36 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. Gen-Z ના આ સંગઠિત અને મક્કમ આંદોલનની સીધી અસર કેન્દ્ર સરકાર પર જોવા મળી છે.

સરકાર પર વધતું દબાણ: પેપર લીક મામલે સતત ઘેરાયેલી સરકાર અને શિક્ષણ મંત્રાલય સામે વિપક્ષ તેમજ સામાન્ય જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. વધતા જતા રાજકીય અને સામાજિક દબાણના કારણે આખરે ધર્મેન્દ્ર પ્રધાનને પદ છોડવાની ફરજ પડી છે.

વિદ્યાર્થી શક્તિની જીત:સ્વતંત્ર ભારતની રાજનીતિમાં પહેલીવાર જોવા મળ્યું છે કે Gen-Z ના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થી આંદોલન આગળ કેન્દ્ર સરકારે આટલો મોટો નિર્ણય લેવો પડ્યો હોય. વિદ્યાર્થીઓ આ રાજીનામાને પોતાની નૈતિક જીત તરીકે જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!