PATANSIDHPUR

યોગાંજલી કેળવણી મંડળ, સિદ્ધપુર દ્વારા ગણેશપુરા પ્રાથમિક શાળા, સિદ્ધપુરના વિદ્યાર્થીઓને બેગ અને વર્ગ દીઠ પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું

*યોગાંજલી કેળવણી મંડળ, સિદ્ધપુર દ્વારા ગણેશપુરા પ્રાથમિક શાળા, સિદ્ધપુરના વિદ્યાર્થીઓને બેગ અને વર્ગ દીઠ પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું..*

યોગાંજલી કેળવણી મંડળ, સિદ્ધપુર દ્વારા ગણેશપુરા પ્રાથમિક શાળા, સિદ્ધપુરના શાળા પરિવારના અને વિદ્યાર્થીઓને સરકારશ્રીના બેગ લેસ વિષયને સાર્થક કરતા એમ કુલ ૪૩૦ વર્ગખંડ બેગ અને વર્ગ દીઠ પાણીના ૨૦ લિટરના જગ એમ કુલ ૧૩ જગ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે યોગાંજલી કેળવણી મંડળના સેક્રેટરી સુશ્રી જીજ્ઞાબેન દવે, સંસ્થાના ટ્રસ્ટી બહેનશ્રી કૈલાસબેન પટેલ અને યોગાંજલી વિદ્યાવિહાર માધ્યમિક/ઉચ્ચ માધ્યમિકના આચાર્યશ્રી અશોકભાઈ શર્મા સાહેબ અને ગામના વડીલ મુરબ્બીશ્રી કેશુભાઈ પટેલ સાહેબની ખાસ ઉપસ્થિતિમાં આ ભેટ બાળકોને સુપરત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાળાના આચાર્ય બહેન શ્રીમતી રશ્મિકાબહેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાળા પરિવાર થકી મોમેન્ટ, સોલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગામના વડીલ મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ, યોગાંજલી વિદ્યાવિહારના આચાર્યશ્રી અશોકભાઈ શર્મા અને યોગાંજલી કેળવણી મંડળના સેક્રેટરી સુશ્રી જીજ્ઞાબેન દવે દ્વારા પ્રસંગોપાત વક્તવ્ય અને આશીર્વચન આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતમાં સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કપિલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા ,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!