MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.
MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.
પ્રભુ શ્રી રામ નો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા આગામી તા.૬-૩-૨૦૨૫ રવિવાર ના રોજ સનાતન હિન્દુ ધર્મ નાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ નિમિતે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ કલાક થી પ્રભુ શ્રી રામ નો પ્રાગટ્યોત્સવ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેર ના દરેક રામભક્તો ને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ નો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવેલ છે.