BHARUCHGUJARAT

અંકલેશ્વરના મીરા નગરમાં ચાલતા જુગારધામ પર દરોડા, પાડી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે રૂ.1.63 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીની ધરપકડ કરી…

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમખાન માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થીક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારી ઝડપાયા હતા.પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી રૂ.1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા દસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી…

Back to top button
error: Content is protected !!