SC-ST ચુકાદા મામલે ભારત બંધના એલાનમાં જૂનાગઢ સંપૂર્ણ બંધ સાથે સમસ્ત જિલ્લા અનુ.જાતી દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : SC ST અનામત ચુકાદા મામલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેર સહીત મેંદરડા, વંથલી અને માણાવદર સહીતના તાલુકામાં સંપૂર્ણ બંધ સાથે સમસ્ત જૂનાગઢ જિલ્લા અનુ.જાતી સમાજ દ્વારા રેલી યોજી સુત્રોચાર કરીને જિલ્લા કલેકટર અને તાલુકા મથકોએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જીલ્લા કલેકટરને રજૂઆત કરતા માંગ કરી હતી, કે SC,ST અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને 1-08-2023 નો સુપ્રીમ કોર્ટનો સાત જજોની બેંચનો ચુકાદો નીરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેચના આ બાબત ચુકાદાને બહાલી આપવામાં આવે, SC-ST કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ જે ગરીબ થઈ રહી છે તેને અલગથી EWS જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે, કારણ કે દેશના ગરીબ નાગરિકોના સ્થાન માટે EWS ક્વોટા દાખલ કરવામાં આવ્યો છે. એસસી-એસટી કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશિયલ ફંડની વ્યવસ્થા કરી તેમના સ્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે તેમાં જે એસસી, એસટી પ્લાનને કાનૂની સ્વરૂપ આપી રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવે તેવી અનુજાતી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.
ત્યારે નિખિલ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ જિલ્લા તથા શહેરમાં અનુ. જાતિ તેમજ અનુ. જનજાતિ સમાજના તમામ આગેવાનો દ્વારા સાથે મળી આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આજે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. આ બંધમાં જૂનાગઢ શહેર સાહિત તાલુકાઓના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો. ત્યારે કાળવા ચોક ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી રેલી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી. અને વધુમાં જણાવ્યું હતું કે એસ.સી, એસ.ટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યને જે પાવર આપવામાં આવ્યા છે, તે બંધારણીય બેંચ દ્વારા એસ.સી, એસ.ટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાવ છે. આ ચુકાદાના કારણે એસસી એસટી જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડની પ્રેકટીલ થાય છે, તેવી જાતિઓના સમૂહને અનામતના માધ્યમથી તેના હકકો-પ્રતિનિધીત્વ જાળવવાની બંધારણીય પ્રતિબધ્ધતા સામે સવાલો ઉભા થઇ શકે છે. અનુસુચિત જાતિ અને જનજાતિએ સમાન પણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ કેટેગરી છે. જેમાં તે વર્ગના પ્રનિધિત્વ માટે સંવૈધાનિક જોગવાઈ છે. દેશની દરેક જાતિ માટે જોગવાઇ નથી અને ૬૭૪૩ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવી પણ શકય નથી. આ વર્ગ, કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ૩૪૧ મુજબ સમહર્તા મહામહિમ રાષ્ટ્રપતિ છે તેમ છતા સુપ્રિમકોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રિમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે. જે દેશની અનુસુચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે તેમ હોય અમે આ ચુકાદોને નિરસ્ત કરતી સંવેધાનિક પ્રણાલીને અનુસરી ઘટતુ કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી, અને અમારી માંગણીઓ જણાવી હતી, જેમાં એસસી, એસટી અનામત કેટેગરી ક્ષેત્રમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આતો ૧-૮-૨૪નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચુકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચુકાદાને બહાલ કરવામાં આવે, એસસી, એસટી કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે, જે ગરીબ રહી ગઇ છે તેને અલગથી ઇડબલ્યુએસ જેવી સગવડ જનરલ કોટામાંથી આપામાં આવે કારણ કે દેશના ગરીબ નાગરિકોના ઉત્થાન માટે ઇડબલ્યુએસ કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ ઇડબલ્યુ કોટાની જોગવાઈ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે, એસસી, એસટી બંધારણીય અનામત જોગવાઇ પ્રતિનિધિત્વ જે બંધારણની ૯મી અનુસુચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ- દેશ રાજકીય લાભ આપવા કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે, એસસીએસટી કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવે, એસસી, એસટી કયોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂપ આપાવમાં આવે, રિઝર્વેશન એટક બનાવવામાં આવે, રિઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનું માળખુ તૈયાર કરવામાં આવે, જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબરથી અમલ કરવામાં આવે, સરકારી, અર્ધસરકારી જાહેર સાહસોનું ખાનગીકર, વેચાણ બંધ કરવામાં આવે, શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે, પ્રાઇવેટ સેકટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે, હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા દ્વારા મેરીટથી કરવામાં આવે, કોલેજીયન સિસ્ટમ નાબુદ કરવામાં આવે, ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની કરજીયાત જોગવાઈ કરવામાં આવે, લેટરની એન્ટ્રી સિસ્ટમ ગૈર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે તેવી વાત સાથે સમસ્ત જૂનાગઢ જિલ્લા અનુ.જાતી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.