MORBI:મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયેના સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ ૧૨ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
MORBI:મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયેના સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ ૧૨ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકારશ્રી પ્રધાનમંત્રી યોજના(શહેરી) અંતર્ગત EWS-1 આવાસ પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૧૨ આવાસ સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે. જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે તેવા તમામ લાભાર્થીઓને તા.૨૫/૦૬/૨૦૨૫ ને બુધવાર રૂમ નં.૧૬,મોરબી મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, ગાંધીચોક, મોરબી ખાતે ડોક્યુમેન્ટની નકલ સાથે રાખી રૂબરૂ આવવાનું રહેશે.
નોંધ:- સુંદર વેઈટીંગ લીસ્ટ ૧૨ આવાસો માટે જ ઓપરેટ કરવાનું હોઈ જેથી કચેરી દ્વારા ખાલી પડેલ મકાનો સામે બે ગણા લાભાર્થીઓને આવકારેલ છે પરંતુ યોજનાલક્ષી તમામ ડોક્યુમેન્ટ રજુ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ નામાવલી પૈકીના પ્રથમ ૧૨ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમોનુંસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.