MORBI મોરબી ગાય માતાને ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવા અને ગૌચર મુક્તિ માટે કેન્દ્ર-રાજ્ય સરકારને રજૂઆત

MORBI મોરબી ગાય માતાને ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવા અને ગૌચર મુક્તિ માટે કેન્દ્ર-રાજ્ય સરકારને રજૂઆત
ભારતીય સંસ્કૃતિમાં જેનું સર્વોચ્ચ સ્થાન છે તેવી ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અને ગૌવંશના રક્ષણ માટે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતના મુખ્ય મુદ્દાઓ: રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો: ગાય માતા ભારતની સામાજિક, આર્થિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોવાથી તેમને સત્તાવાર રીતે ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવામાં આવે.ગૌચર જમીન પરથી અતિક્રમણ મુક્તિ: રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરી, તે જમીન ગૌવંશ માટે ખુલ્લી કરવામાં આવે.નંદીઘર અને ગૌશાળાની સ્થાપના: દરેક વિસ્તારમાં વ્યવસ્થિત નંદીઘર અને આધુનિક ગૌશાળાઓનું નિર્માણ થાય જેથી રખડતા ગૌવંશને આશ્રય મળી શકે.
ઝીરો ટોલરન્સ નીતિ: ગૌવંશની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈઓ વધુ કડક બનાવી, ‘ઝીરો ટોલરન્સ’ સાથે પારદર્શક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
“ગૌવંશની સુરક્ષા એ માત્ર ધાર્મિક વિષય નથી, પરંતુ તે ભારતીય ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક સમરસતાનો મૂળ મંત્ર છે. ગૌચર મુક્તિ અને ગૌરક્ષા માટે સરકાર સખત પગલાં ભરે તે સમયની માંગ છે.” અજયભાઈ ઝાલરીયા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચો) વધુમાં જણાવ્યું હતું કે, જો ગૌવંશ સુરક્ષિત હશે તો જ રાષ્ટ્રની સુખાકારી જળવાઈ રહેશે. આ રજૂઆત દ્વારા તેમણે વરિષ્ઠ પદાધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓને આ દિશામાં યોગ્ય ધારાધોરણ મુજબ સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.










