GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI કાશ્મીરનાં પહલગામ માં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે  મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

MORBI કાશ્મીરનાં પહલગામ માં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે  મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

 

 

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કાશ્મીરનાં પહલગામ માં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રી પરશુરામ દાદાની આરતી કરવામાં આવી તથા અન્નકુટ ધરવામાં આવ્યો

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કાશ્મીરનાં પહલગામ માં હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાને સંદર્ભે સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી પરશુરામની આરતીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો, બ્રહ્મ અગ્રણીઓ જોડાયા હતાં. જે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી નાં પ્રમુખ જયદિપભાઈ મહેતા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, હાર્દિકભાઈ ભટ્ટ અને ઋષીભાઈ મહેતા ની યાદી માં જણાવવામાં આવે છે.

Oplus_16908288

આ સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી નાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે ઉદયભાઈ જોષી, મહામંત્રી પદે વિજયભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી તથા હર્ષભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!