GUJARATMODASA

અરવલ્લીના શામળાજી ખાતે ભિલોડા વિધાનસભાના ભાજપના સક્રિય સદસ્યોનું સંમેલન યોજાયું

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના શામળાજી ખાતે ભિલોડા વિધાનસભાના ભાજપના સક્રિય સદસ્યોનું સંમેલન યોજાયું

ભારતીય જનતા પાર્ટીના ૪૬ મા સ્થાપના દિવસ નિમિત્તે ભિલોડા વિધાનસભાના સક્રિય સદસ્યોનું સંમેલન શામળાજી ખાતે પ્રદેશમાંથી ઉપસ્થિત વક્તા કૌશલ્યાકુંવરબા પરમારની ઉપસ્થિતિમાં યોજાયું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે કરી સૌને આવકારી સંગઠનની જાણકારી આપી હતી.ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડાએ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.સમેલનના મુખ્ય વક્તા કૌશલ્યાકુંવરબા પરમારે ગુજરાત ભાજપ પ્રદેશની સંગઠનાત્મક બાબતો તેમજ ભાજપની સ્થાપના તેમજ ડૉ, શ્યામાપ્રસાદ મુખર્જી ,પંડિત દીનદયાળ ઉપાદયાય અને અટલજીના જીવન વિશે વાતો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓથી કાર્યકરોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર,પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ રણવીરસિંહ ડાભી,પૂર્વ સંગઠન મંત્રી પ્રભુદાસભાઈ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલાબેન મડિયા, તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા,જિલ્લા મહા મંત્રી હસમુખભાઈ પટેલ,ઉપપ્રમુખ રાજુભાઇ નિનામા,મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ,તેમજ રાજેન્દ્રસિંહ ભાટી, ભિલોડા મંડલ પ્રમુખ મનોજભાઈ પટેલ,મેઘરજ મંડલ પ્રમુખ અનિલભાઈ પંચાલ, ભિલોડા-મેઘરજ તાલુકાના મહામંત્રીઓ,તેમજ સંગઠનના હોદ્દેદારો,તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો,સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!