MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડમાં ‘રામ ભરોસે’ ચાલતો શાકભાજી વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો?

 

MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડમાં ‘રામ ભરોસે’ ચાલતો શાકભાજી વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો?

 

​મોરબી | તા. 17 એપ્રિલ, 2026
​મોરબી માર્કેટિંગ યાર્ડ (APMC) હાલ અવ્યવસ્થા અને ગેરવહીવટનો પર્યાય બની ગયું છે. ખાસ કરીને શાકભાજી વિભાગમાં ખેડૂતો અને વેપારીઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સત્તાધીશોની નિષ્ક્રિયતા અને વહીવટી તંત્રની આખ આડા કાન કરવાની નીતિને કારણે આખું યાર્ડ જાણે કોઈ પણ જાતના નિયંત્રણ વગર ચાલી રહ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.



​ખુલ્લી લૂંટ અને હપ્તાખોરી: યાર્ડમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા વચ્ચે ગાડી પાર્ક કરવા માટે ₹1,000 જેવો મોટો હપ્તો ઉઘરાવવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જવાબદાર કર્મચારીઓની ગેરહાજરીમાં ખાનગી રાહે ચાલતી આ ઉઘરાણી ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે.
​જાહેર હરરાજીનો અભાવ: નિયમ મુજબ ખેડૂતોના માલની જાહેર હરરાજી થવી જોઈએ, પરંતુ અહીં હરરાજી બંધ રાખીને સીધું વેચાણ કરવામાં આવે છે. પરિણામે:
​ખેડૂતોને તેમના માલના સાચા બજારભાવ મળતા નથી.
​સામાન્ય જનતાએ વચેટિયાઓને કારણે મોંઘવારીનો માર સહન કરવો પડે છે.

શાકભાજી વિભાગમાં શેષ (Cess) નાબૂદ થયા બાદ હવે ‘યુસેઝ ચાર્જ’ ના નામે ઉઘરાણી કરવામાં આવે છે. આ ચાર્જ વસૂલવા છતાં તંત્ર માલ ઉતારવા માટે પૂરતી જગ્યા, સિક્યોરિટી કે ટ્રાફિક વ્યવસ્થા માટે સ્ટાફ ફાળવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.

​સ્થાનિક ખેડૂતો અને કમિશન એજન્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, સત્તાના નશામાં ચૂર શાસકો યોગ્ય નિર્ણય લેવામાં અક્ષમ સાબિત થયા છે. જો મોરબી યાર્ડનો વહીવટ કોઈ પ્રમાણિક અને ખેડૂત હિત ધરાવતા આગેવાનોને સોંપવામાં આવે, તો જ સરકારની પ્રતિષ્ઠા બચે અને જનહિતનું રક્ષણ થાય તેમ છે.​”યાર્ડ માત્ર ટેક્સ ઉઘરાવવાનું સાધન બની ગયું છે, ખેડૂતોને પૂરતા ભાવ કે યોગ્ય વાતાવરણ આપવાની જવાબદારીમાંથી તંત્રએ હાથ ઊંચા કરી લીધા છે.” – એક પીડિત ખેડૂત હવે જોવાનું એ રહે છે કે, તંત્ર આ ગેરવહીવટ સામે લાલ આંખ કરે છે કે પછી ખેડૂતોને આ રીતે જ લૂંટાવા માટે મજબૂર છોડી દેવામાં આવશે?

Back to top button
error: Content is protected !!