GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જાલી-દેરાળા અને રાજસ્થળી-લુણસર વચ્ચે કોઝવે પર પાણી વહેતા સાવચેતી માટે રસ્તો બંધ કરાયો

 

WAKANER:વાંકાનેરના જાલી-દેરાળા અને રાજસ્થળી-લુણસર વચ્ચે કોઝવે પર પાણી વહેતા સાવચેતી માટે રસ્તો બંધ કરાયો

 

મોરબી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકામાં આવેલ જાલી-દેરાળા-રાજસ્થળી-લુણસર માર્ગ પર જાલી થી દેરાળા વચ્ચે તેમજ રાજસ્થળી થી લુણસર વચ્ચે કોઝવે/રસ્તા પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ થતા) સુરક્ષાના ભાગરૂપે આ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

 

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તેમજ ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના ભારે પ્રવાહવાળા બંધ રસ્તા પર અવરજવર કે સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!