બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ લાલમંટોડી વિસ્તારમાં કબીર સંપ્રદાયના સત્સંગભવનના માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ રૂ.૨૫ લાખની ફાળવણી કરતાં ખાતમુહુર્ત વિધી યોજાઇ હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે કબીર સંપ્રદાયના સાધુ-સંતો કબીર સાહેબની ભક્તિ અને ધામિૅક-સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે તે માટે સત્સંગભવનની જરૂરીયાત હતી. મારૂ જીવન આધ્યાત્મિક છે. સમાજ અને ધર્મના કામ માટે મારૂ જીવન સમર્પિત કર્યું છે.કબીર સંપ્રદાયના સાધુ-સંતોએ પણ આશિવચન આપ્યા હતા.જે દરમ્યાન નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, સંગઠનના હોદ્દેદારો, તા.પંચાયતના સભ્યો-સરપંચ અને વિવિધ આગેવાન સાથે કબીર સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા.