રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ARTO કચેરી દ્વારા વાહનોમાં રિફ્લેક્ટર લગાવવાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના નાગરિકોની માર્ગ સલામતિ માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન ન થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે પણ હંમેશાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી-રાજપીપલા દ્વારા સમયાંતરે વિવિધ સ્થળોએ ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ગુરૂવારે તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ APMC રાજપીપલા ખાતે નાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવીની ઉપસ્થિતિમાં ટ્રેક્ટર ટ્રેલર, ટ્રક વગેરે વાહનોમાં રેડિયમ પટ્ટી (રિફ્લેક્ટર) લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમન અંગેની સમજ આપતા પેમ્પલેટ આપી માર્ગ સલામતિ અંગેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિમિષાબેન પંચાલ, APMCના અન્ય હોદેદારો અને ARTO કચેરીના વાહન નિરિક્ષકઓ પણ ઉપસ્થિત રહ્યા હતા