ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ. આર. પટેલ તેમની નિમણુક બાદ નર્મદા જિલ્લાની પ્રથમ મુલાકાતે
ભારતીય બંધારણમાં ઉમેરાયેલ ત્રણ નવા કાયદા અંગે, તથા સતેન્દ્ર અંતીલે વિરુદ્ધ CBI ના કેસ તથા કન્વિકશનરેટ ઈમ્પ્રુવમેન્ટ અંગે સેમિનાર યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
આજરોજ ડાયેરકટર ઑફ પ્રોસીક્યુશનના તરફથી ડાયરેક્ટર એ આર પટેલ તેઓની નિમણુંક બદલ પ્રથમ વાર નર્મદા જિલ્લાની મુલાકાત લીધી જેમાં જીલ્લા સરકારી વકીલ તેમજ પોલીસ અધિક્ષક નર્મદાની ઓફિસના સહયોગથી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ત્રણ નવા કાયદા અંગે તથા નામદાર સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ અનુસાર સતેન્દ્ર અંતીલે વિરુદ્ધ CBI ના કેસ તથા કન્વિકશનરેટ ઈમ્પ્રુવમેન્ટ અંગે સેમિનાર યોજવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તેમજ તેમની ટીમ જેમાં તમામ DYSP તથા PI હાજર રહ્યા હતા અને જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ અને તેમની ટીમના જિલ્લાના તમામ સરકારી વકીલઓ હાજર રહી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ. આર. પટેલ પાસેથી માર્ગદશૅન મેળવી તાલીમ લીધી હતી
ઉપરોક્ત સેમિનારમાં તમામને નવા કાયદાથી અવગત કરવા અને તપાસ કરતા પોલીસ ઓફિસરોને તપાસ દરમ્યાન પડતી તકલીફો નિવારવા સેમીનારમાં સમજ કરેલ તેમજ સદર સેમીનારમાં તે ઉપરાંત નામદાર સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ અનુસાર સતેન્દ્ર અંતીલે વિરુદ્ધ CBI નાં કેસ માં કોર્ટે જે ગાઈડલાઈન્સ આપેલ છે તેની છણાવટ કરવા અને તેની જાણકારી આપી અને પોલીસ દ્વારા તેનો ચુસ્તપણે અમલ કરવા માટે સમજ કરેલ તેમજ દિવસે દિવસે વધતા જતા ગુન્હા સામે સજાનો દર વધે તે માટે ગુન્હાની તપાસ સારી રીતે થાય અને ત્યાર બાદ ખરેખર ગુન્હો કરનાર આરોપીને સજા થાય તે માટે યોગ્ય પ્રોસીક્યુસન થાય તે માટે તપાસ કરતા પોલીસ ઓફિસરો ઓ અને પ્રોસીક્યુટર વચ્ચે યોગ્ય સંકલન થાયતો રાજ્યમાં કન્વિકશન રેટ વધે તથા ઇન્વેસ્ટીગેશનની કામગીરી સારી રીતે થાય એ હેતુ થી આ સફળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું