NANDODNARMADA

નર્મદા : મોકડ્રિલના સમયે ઘણા વિસ્તારોમાં સાયરન સાંભળયુજ નહી હવે તંત્ર જાગ્યું, સેવાસદન ખાતે નવું સાયરન મુકવામાં આવ્યું 

નર્મદા : મોકડ્રિલના સમયે ઘણા વિસ્તારોમાં સાયરન સાંભળયુજ નહી હવે તંત્ર જાગ્યું, સેવાસદન ખાતે નવું સાયરન મુકવામાં આવ્યું

 

સતર્કતા વોર્નિંગ માટે રાજપીપલા નગરપાલિકા અને સરદાર ટાઉન હોલ ખાતે નવા સાયરન સ્થાપિત

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સમગ્ર ભારત દેશમાં ગત સાત તારીખે નાગરિકોની સતર્કતા અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા ડિફેન્સ મોક ડ્રિલ યોજાઈ હતી જેમાં વિવિધ સમયે સાયરન વગાડી ને લોકોને સતર્ક કરી જરૂરી માહિતી આપવાની હતી પરંતુ નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં સાયરન નહીં સાંભળ્યા ની લોકોએ ફરિયાદ કરી હતી હવે તંત્ર જાગી ગયું છે અને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા ક્રિટીકલ પરિસ્થિતિમાં લોકોને સચેત કરવા એલર્ટ મોડ પર લાવવા માટે ત્રણ સાયરસ મુકાયા છે. જેની રેન્જ 3 કિ.મી. સુધીની છે. અને તેનો અવાજ સાંભળીને શહેરના લોકોને સાયરન વગાડીને સતર્ક કરાશે. જિલ્લાના સેવાસદન કલેક્ટર કચેરી સહિત નગરપાલિકા અને સરદાર ટાઉન હોલ પર લાગેલા સાયરન આપત્તિની સંભાવિત પરિસ્થિતિ જેવી કે પુર ભૂકંપ, વાવાઝોડું કે યુદ્ધ જેવી સંકટ પરિસ્થિતિ દરમિયાન સતર્કતા અને ચેતવણી આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ સાયરન કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ કે અન્ય તાત્કાલિક ક્રિટીકલ સંજોગોમાં ચેતવણીરૂપે નાગરિકોને સંકેતની સૂચના આપશે. આ પહેલ સંભવિત જાનમાલના નુકસાનને નિયંત્રિત કરવા અને ત્વરિત મદદ પહોંચાડવામાં કારગત સહાયરૂપ બનશે. એટલે શહેરના નાગરિકોએ પણ આવુ સાયરન વાગે ત્યારે ઘબરાવાની જરૂર નથી સતર્ક અને સાવધાની રાખવાની છે. આ સાયરન સંકટ સમયે જ અધિકારિક તોર પર જિલ્લાના જવાબદાર અધિકારીઓની સૂચના આદેશ અનુસાર ડિઝાસ્ટર સમયે જ વાગશે

Back to top button
error: Content is protected !!