વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૩ ઓગસ્ટ : કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ તથા સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ અંગેનો કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૫/૦૮/૨૦૨૪ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ‘સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે .જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણ પ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા “કુપોષણ નિવારણ કેમ્પ કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. કિશોરીઓ, ધાત્રીમાતા – ગર્ભીણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે.સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવા વાળુ. કલ્યાણકારક, પુણ્યકારક. વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્થ (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે. તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદી જણાવે છે.